Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

રામ મંદિરમાં ચઢાવેલા પ્રસાદની ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કાલે સોમવારે મુખ્યમંત્રી યોગીને પોતાનો પ્રાથમિક રિપોર્ટ સુપરત કરે તેવી શક્યતા છે. ટીમ રવિવારે સાંજે મુખ્યમંત્રીને મળવા પહોંચી હતી પરંતુ તેઓ આગામી ચોમાસા સત્ર સહિત અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી બેઠક થઈ શકી ન હતી.

SIT એ સાત પેન ડ્રાઇવમાંથી ડેટા મેળવ્યો છે. છ દિવસની તપાસમાં ૧૫૦ શંકાસ્પદોની ઓળખ થઈ છે, જેમાંથી ૨૫ સામે કાર્યવાહી થવાની શક્યતા છે. SIT દ્વારા પૂછપરછ કરાયેલા લોકોને આગામી આદેશ સુધી વિસ્તાર ન છોડવાની ચેતવણી આપવામાં આવી છે. આ જૂથમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનો સમાવેશ થાય છે.

SIT એ રામશંકર યાદવ ઉર્ફે ટીનુ જે રામ મંદિરમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતા વ્યક્તિ હતા તેઓની લગભગ દરરોજ પૂછપરછ કરી. ટીમે તેમના નજીકના સહયોગીઓ, સંબંધીઓ અને તેમની સંપત્તિઓ વિશે પણ માહિતી એકત્રિત કરી. આ છ દિવસોમાં ટીમે સીસીટીવી ફૂટેજ, દાન સંબંધિત વિગતો, ગણતરી પ્રક્રિયા અને બેંકમાં ભંડોળ પહોંચાડવાની પ્રક્રિયા સહિતની દરેક વિગતોની બારીકાઈથી તપાસ કરી. છઠ્ઠા દિવસે (શનિવારે) ટીમે તમામ આરોપીઓ અને શંકાસ્પદોના બેંક ખાતાઓની વિગતો મેળવી. આ તપાસ બાદ ટીમ તમામ પુરાવા પોતાની સાથે લઈ ગયા છે.

2021 સુધીના રેકોર્ડની તપાસ કરવામાં આવી
SIT એ મંદિરના દાન પેટીઓમાંથી ભંડોળના ઉપયોગ, બિનજરૂરી ખર્ચના કિસ્સાઓ અને જમીન ખરીદી સંબંધિત બાબતોની પણ તપાસ કરી. 2021 સુધીના જૂના રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી અને બેંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા સામે કાર્યવાહી લગભગ નિશ્ચિત છે. બંનેને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. વધુમાં મંદિરના બાંધકામ પ્રભારી ગોપાલ રાવને પણ તેમના પદ પરથી દૂર કરી શકાય છે.

અત્યાર સુધી ₹2 કરોડની રિકવરી
મંદિરના પ્રસાદની ચોરી સાથે સંકળાયેલા કેસમાં પાંચ વ્યક્તિઓ લવકુશ, અવનીશ, અનુકલ્પ, કરુણે અને રામશંકર (ઉર્ફે ટીનુ) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે અત્યાર સુધીમાં ₹2 કરોડની સંપત્તિ રિકવર કરવામાં આવી છે. આ બધાને મંદિરમાં દાનની રકમની ગણતરી કરવાની ફરજો સોંપવામાં આવી હતી. 13 જૂનના રોજ મંદિર ટ્રસ્ટના કર્મચારી ટીનુના ઘરેથી સોનું મળી આવ્યું હતું જોકે સોનાના ચોક્કસ જથ્થાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

To Top