Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું“મંદિર બચાવો”ના નારા સાથે નેતાઓને ખુલ્લો ચેલેન્જ

સુરતના રાંદેર તાડવાડી વિસ્તારમાં ચૂંટણી પહેલા અનોખું અને તીખું રાજકીય માહોલ જોવા મળી રહયુ છે.રાંદેર નાં ગોરાટ વિસ્તારમાં ઠેરઠેર લગાવવામાં આવેલા બેનરોએ માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ રાજકારણીઓમાં પણ ચિંતા અને દોડધામ ઊભી કરી દીધી છે. “ગોરાટ બચાવો… ગોરાટ હનુમાન મંદિર બચાવો…” જેવા નારા સાથે લગાવવામાં આવેલા આ બેનરો સીધા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.

બેનરમાં ખાસ કરીને લખવામાં આવ્યું છે કે “જે નેતાઓ ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે, તે જ વોટ માંગવા આવે”, જેના કારણે ચૂંટણીના ટાણે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. આ સાથે જ એક વધુ કટાક્ષભર્યો મેસેજ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે કઈ થાય તો જવાબદાર કોણ..?” આ મુદ્દાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે.

સ્થાનિક રહીશો અને મંદિરના પુજારીનો આક્ષેપ છે કે ગોરાટ હનુમાન મંદિરની બાજુમાં આવેલી દિવાલને અડીને અન્ઓય લોકો નો વસવાટ શરૂ થયો છે, જેના કારણે વિસ્તારમાં અસંતોષ ફેલાયો છે. હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં આ પરિવર્તનથી લોકોમાં અસુરક્ષા અને નારાજગીની લાગણી ઊભી થઈ છે.

રહિશો કહે છે કે તેઓએ અનેક વખત સ્થાનિક નેતાઓ અને સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલું લેવામાં આવ્યું નથી. પરિણામે લોકો હવે ચૂંટણીને જ એકમાત્ર રસ્તો માની રહ્યા છે. તેઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જે નેતા આ સમસ્યાનો ઉકેલ લાવશે, તેને જ મત આપવામાં આવશે. ચૂંટણીના આ ગરમ માહોલમાં ગોરાટ વિસ્તાર રાજકીય રીતે હોટસ્પોટ બની ગયો છે, જ્યાં હવે માત્ર વચનો નહીં પરંતુ કામના આધારે જ મત મળવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

To Top