Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત કાર્યક્રમોમાં વ્યસ્ત હતા, જેના કારણે તેમને થાક અને બેચેની અનુભવાઈ હતી. તબીબોની સલાહ બાદ તેમને મોહાલી સ્થિત Fortis Hospital મોહાલીમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તેમની હાલત સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ ગંભીર બાબત નથી. તબીબોએ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. હાલ તેઓ તબીબી દેખરેખ હેઠળ છે. તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીની આવતીકાલે મોગા ખાતે એક મહત્વપૂર્ણ એન્ટી-ડ્રગ રેલી થવાની હતી, જે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી રહી હતી. આ આ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં નશાના પ્રસાર સામે કડક અભિયાન ચલાવવા અને યુવાનોને નશામુક્ત જીવન તરફ પ્રેરવા માટે કરવામાં આવ્યું હતું.

પંજાબમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશાનો મુદ્દો ગંભીર બન્યો છે. આ જોઈ રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પોતે આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે અને અનેક જિલ્લાઓમાં જઈને જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે. મુખ્યમંત્રીની તબિયત બગડવાની ખબર મળતા જ પાર્ટી કાર્યકરો અને સમર્થકોમાં ચિંતા ફેલાઈ હતી. અનેક લોકોએ તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ યોગ્ય આરામ અને સારવાર બાદ તેઓ ટૂંક સમયમાં ફરી જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી શકશે. હાલ માટે તમામ કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. સરકાર તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સુધરે ત્યારબાદ જ તેઓ જાહેર પ્રવૃત્તિઓમાં જોડાશે.

To Top