Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

SOS મેસેજ મળતા જ શરૂ થયું રેસ્ક્યૂ ઓપરેશન, 6 ભારતીય સહિત 7 ક્રૂ સભ્યો સુરક્ષિત

અરબી સમુદ્રમાં ટેક્નિકલ ખામીના કારણે ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવી દ્વારા મદદ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય જહાજ “MV Gautam” ઓમાનથી ભારત તરફ આવી રહ્યું હતું ત્યારે તેમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે જહાજ દરિયામાં અટવાઈ ગયું હતું.

SOS મેસેજ બાદ તાત્કાલિક કાર્યવાહી
રિપોર્ટ અનુસાર, જહાજ તરફથી SOS અને ઇમરજન્સી સહાય માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ સ્થિત Maritime Rescue Coordination Centre દ્વારા પાકિસ્તાન અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મદદની વિનંતી મળતા જ પાકિસ્તાન નેવીએ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

પાકિસ્તાન નેવીએ મોકલ્યું PMSS Kashmir જહાજ: પાકિસ્તાન નેવીએ “PMSS Kashmir” નામનું જહાજ મોકલ્યું હતું. આ ઓપરેશનમાં Pakistan Maritime Security Agencyએ પણ સહયોગ આપ્યો હતો. દરિયામાં ફસાયેલા ક્રૂ સભ્યોને ખોરાક, મેડિકલ સહાય અને ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવ્યો હતો.

જહાજમાં હતા 7 ક્રૂ સભ્યો
રિપોર્ટ મુજબ, MV Gautamમાં કુલ 7 ક્રૂ સભ્યો હતા, જેમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થતો હતો. તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

અરબી સમુદ્રમાં વધતી મુશ્કેલીઓ વચ્ચે માનવતાનું ઉદાહરણ
તાજેતરના સમયમાં અરબી સમુદ્ર અને હોર્મુઝ વિસ્તારમાં જીઓ-પોલિટિકલ તણાવ અને સમુદ્રી સુરક્ષા મુદ્દાઓને કારણે અનેક પડકારો ઉભા થયા છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે રાજકીય તણાવ હોવા છતાં માનવતાના ધોરણે આપવામાં આવેલી આ મદદને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અગાઉ પણ બની ચૂક્યાં છે આવા કિસ્સા
સમુદ્રમાં ઇમરજન્સી પરિસ્થિતિ દરમિયાન અનેક વખત ભારત અને પાકિસ્તાનની નેવીઓએ માનવતાના આધારે એકબીજાના નાગરિકોને મદદ કરી છે. અગાઉ ભારતીય નેવીએ પણ પાકિસ્તાની નાગરિકોને સમુદ્રી દુર્ઘટના અને પાયરેસી જેવી પરિસ્થિતિમાં બચાવ્યા હતા.

To Top