Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

વડોદરા લિટરેચર ફેસ્ટ ૪.૦ નું સફળ સમાપન મહાનુભાવોનો મેળાવડો. પારૂલ યુનિ.ના લિબરલ આર્ટ્સ ફેકલ્ટીના વડોદરા લિટરેચર ફેસ્ટનું સફળ સમાપનઃ ૧૫,૭૮૬ દર્શકો સાથે ૫૩ અગ્રણીઓની ઉપસ્થિતિ

વડોદરા, બુધવાર: ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી પારૂલ યુનિ.ના ફેકલ્ટી ઓફ લીબરલ આર્ટસ દ્વારા તાજેતરમાં વડોદરા લિટરેચર ફેસ્ટની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવા વિચારો, સંવાદ અને બૌધ્ધિક ચર્ચાઓ માટેના એક મજબૂત પ્લેટફોર્મ તરીકે પોતાની ઉપસ્થિતિને મજબૂત કરતાં લિટરેચર ફેસ્ટની વર્તમાન આવૃત્તિમાં વિવિધ ક્ષેત્રોમાં સર્વોચ્ચ પદો ઉપર સેવા આપનાર મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને સાહિત્યમાં રૂચિ ધરાવતા ૧૫,૭૮૬ શ્રોતાઓએ એક છત નીચે ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત સરકારમાં પૂર્વ સચિવ અનિલ સ્વરૂપ સહિતના મહાનુભાવોએ શાસન, લોકતંત્ર, કાયદો, જાહેર નીતિ, સાહિત્ય સહિતના મહત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તારપૂર્વક સંવાદ અને પોતાના અનુભવો વ્યક્ત કર્યો હતો.
એક રસપ્રદ સેશનમાં ભૂતપૂર્વ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, બંધારણ તમને અધિકારો ૧ આપે છે, પરંતુ બીજા લોકોના અધિકારોને પણ સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. ત્યારે જ સમાજમાં યોગ્ય સંતુલન સાધી શકાશે. આપણી પાસે અભિવ્યક્તિનો અધિકાર છે, પરંતુ તેનો ઉપયોગ એવી રીતે ન કરી શકાય કે જેનાથી બીજા લોકોની અભિવ્યક્તિના અધિકાર પ્રત્યે નફરત પેદા થાય.
તેમણે ઉમેર્યું હતું કે, આપણો દેશ વૈવિધ્યસભર છે. ભારતની સાચી તાકાત તેની વિવિધતામાંથી આવે છે. તેથી એકબીજાનો આદર કરો. એકબીજાને સમજો. અલગ-અલગ વિષયો વાંચો. તમારાથી જે પરિચિત છે તેનાથી અલગ વાંચો, હંમેશા તમારી સમજણથી આગળ વધવાનો પ્રયાસ કરતા રહો.
જો તમે બીજા લોકોની તમને ચોંકાવી દેવાની ક્ષમતાને સ્વીકારશો નહીં, તો તમે વિકાસ પામશો નહીં. વીએલએફ ફેસ્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું, “સાહિત્ય માત્ર તમારા મનોરંજન કે હળવાશ પૂરતું સીમિત હોવું જોઈએ નહીં.” તે તમને નવો દ્રષ્ટિકોણ આપશે, તમને પડકારશે અને તમને વિચારવા માટે મજબૂર કરશે.
અગાઉની ત્રણ આવૃત્તિઓની સફળતાને આગળ ધપાવતા લિટરેચર ફેસ્ટની ચોથી આવૃત્તિમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં સર્વોચ્ચ પદે સેવા આપનાર અગ્રણીઓ સામેલ થયાં હતાં, જેમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, ભારત સરકારના પૂર્વ સચિવ અનિલ સ્વરૂપ, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી, જાણીતા લેખિકા શોભા ડે, ઉદ્યોગ સાહસિક અને લેખક અંકુર વારિકૂ, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના પૂર્વ વડા વિક્રમ સૂદ, કાજલ ઓઝા વૈદ્ય સહિતના ૫૩ અગ્રણીઓનો સમાવેશ થાય છે.

દરેક વ્યક્તિ ખાસ છે, પોતાની જાતમાં વિશ્વાસ કરોઃ અંકુર વારિકૂ

વડોદરા લિટરેચર ફેસ્ટની ચોથી આવૃત્તિમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતાં લેખક અને ઉદ્યોગ સાહસિક અંકુર વારિકૂએ આત્મવિશ્વાસ અને વ્યક્તિગત વિકાસ અંગે કહ્યું હતું કે, દરેક વ્યક્તિમાં કંઈક ખાસ હોય છે. જો તમે પોતાની જાતમાં વિશ્વાસ કરો અને લક્ષ્યને હાંસલ કરવાનો પ્રયાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલાં બધા લોકો તમારામાં વિશ્વાસ અને પ્રેમ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, જે લોકો સોશિયલ મીડિયા ઉપર ખરા અર્થમાં વિકાસ કરે છે તેઓ પોતાની જાત પ્રત્યે સાચા હોય છે. તેમણે ઉપસ્થિત લોકોને સલાહ આપી હતી કે હારવું મહત્વપૂર્ણ નથી, પરંતુ તેમાંથી શીખવું મહત્વપૂર્ણ છે.

મનગમતી વસ્તુ માટે સમય ફાળવો અનિલ સ્વરૂપ

ગવર્નન્સ અને લીડરશીપ અંગેના રસપ્રદ સેશનમાં અનિલ સ્વરૂપે જીવનમાં ફોક્સ, હિંમત અને ચારિત્ર્યના સિધ્ધાંત ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, જે કાર્ય તમે નથી કરી શકતા તેના માટે સમય બગાડશો તો તમે જે કરી શકો છો તેના માટે સમય રહેશે નહીં. તેમણે યુવાનોને તેમની મર્યાદાઓ ઉપર ધ્યાન આપવાની જગ્યાએ પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. લીડરશીપ વિશે તેમણે ઉમેર્યું હતું કે, તમારું સાચું ચરિત્ર જ્યારે તમે નીચા હોદા ઉપર હશો ત્યારે જોવા મળશે, નહીં કે ઉપરના હોદ્દા ઉપર હોવ ત્યારે.

To Top