What’s Hot

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વર્ષો બાદ ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં આવી રહ્યા છે. નવજોત સિદ્ધુ 22 માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે. જેની માહિતી સ્ટાર સ્પોર્ટ એક પોસ્ટ શેર કરી આપી છે. જેમાં લખ્યું છે- સરદાર ઓફ કોમેન્ટરી ઈઝ બેક. સિદ્ધુએ પણ આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરી છે.

સિદ્ધુ શુક્રવારે પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિતને મળવા ચંદીગઢ પહોંચ્યા હતા. તેમજ મીટિંગ બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે તેઓ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. પંજાબમાં છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. તેમજ સિદ્ધુ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેઓ ત્રણ વખત અમૃતસર લોકસભા સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે. તેમજ એક વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને એક વખત ધારાસભ્યની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. ત્યારે ક્રીકેટમાં કમબેકના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

સિદ્ધુ પરત ફરશે
ટીવી ઉપર IPLના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે તેના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર કૅપ્શન સાથે એક પોસ્ટ પોસ્ટ કરી હતું જેમાં ચેનલે લખ્યું કે – એક સમજદાર માણસે એકવાર કહ્યું હતુ કે, ‘આશા એ પ્રકાશનું સૌથી મોટું કિરણ છે.’ આ બુદ્ધિશાળી માણસ સિદ્ધુ અમારી સ્ટારકાસ્ટમાં જોડાયા છે! IPLમાં તેની અદ્ભુત કોમેન્ટ્રી અને અદ્ભુત વન-લાઇનર્સને ચૂકશો નહીં. આજળ સ્ટાર સ્પોટ્સે લખ્યુ, એક બુધ્ધિશાળી માણસે એકવાર કહ્યું હતું કે, “હોપ ઇઝ બીગેસ્ટ ‘ટોપ”.

To Top