What’s Hot

More Posts

   The Latest

Most Popular

ઈજાગ્રસ્ત યુવાનને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ઓપરેશન પછી 15 દિવસ સુધી સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયો:સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું*

*અકસ્માત સર્જી ભાગી છૂટનાર રેકડા ચાલક વિરુદ્ધ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ*


( પ્રતિનિધિ ) સુખસર,તા.5

સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે 18 નવેમ્બર 2025 ના રોજ કાળીયા ગામના 28 વર્ષીય યુવાનને રેકડા ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા તાત્કાલિક સુખસર,દાહોદ સહિત વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં 18 દિવસ બાદ ઇજાગ્રસ્ત યુવાનનુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.આશાસ્પદ જુવાનજોધ દીકરાનું અકાળે આકસ્મિક મોત નીપજતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા નલીનભાઈ મગનભાઈ કટારા ઉંમર વર્ષ આશરે 28 ખેતીવાડી તથા છૂટક મજૂરી કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા જેઓને સંતાનમાં એક પાંચ વર્ષની પુત્રી તથા બે વર્ષનો એક પુત્ર છે. નલીનભાઈ મછાર 18 નવેમ્બર 2025 ના રોજ ઘરેથી નીકળી સુખસર પેટ્રોલ પંપ ઉપર મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવવા સવારના જઈ રહ્યો હતો. તેવા સમયે સુખસરથી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર ફોરવીલર ગાડીના ગેરેજ પાસે જતા પાછળથી પાટ અને ગફલત ભરી રીતે અહંકારી આવતા આવતા ટાટા એસી રેકડાના ચાલકે પાછળથી ટક્કર મારતા નલીનભાઈ મછાર જોશભેર રોડ ઉપર પટકાયા હતા.જેઓને માથામાં તથા શરીરના પાછળના ભાગે મણકા ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી.અને રેકડા ચાલક તેના કબજાના રેકડાને સ્થળ ઉપરથી ભગાવી ગયો હતો.જોકે રેકડા ચાલક સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલ હોવાનું જાણવા મળે છે.અને ટૂંક સમયમાં ઝડપાઈ જાય તેવી શક્યતા જણાઈ રહી છે.
ગંભીર ઇજાગ્રસ્ત નલીનભાઈ મછારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં 108 દ્વારા રીફર કરાયો હતો.જ્યાં મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 16 દિવસ સુધી સારવાર આપવામાં આવતા તબિયતમાં સુધારા થયો હતો.જ્યારે અચાનક 4 ડિસેમ્બરના રોજ તબિયત બગડતા નલીનભાઈ મછારને ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઓક્સિજનના બોટલ સાથે સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમ્યાન લલિતભાઈ મછારનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવામાં આવે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મુકેશભાઈ હડ્યાભાઇ મછારે અજાણ્યા રેકડા ચાલક વિરુદ્ધ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે રેકડાની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

To Top